વિજય વિલાસ પેલેસ રૂકમણી નદીના કિનારે આવેલો છે. આ મહેલ કચ્છ જિલ્લામાં માંડવી શહેરથી 8 કિમી. દૂર આવેલો છે
આ મહેલ કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજમાં આવેલો છે. આ મહેલનું નિર્માણ 18મી સદીમાં મહારાજા લખપતજી દ્વારા કરાવવામાં આવ્યું હતું.
પ્રાગ મહેલ આ મહેલ કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજમાં આવેલો છે. રાવ પ્રાગમજી બીજાએ પ્રાગ મહેલ ઈ.સ. 1838માં બંધાવ્યો હતો.
કુસુમ વિલાસ મહેલ આ મહેલ છોટા ઉદેપુર જિલ્લામાં આવેલો છે, જે છોટા ઉદેપુરના શાહી પરિવારનું નિવાસ સ્થાન છે.
પ્રેમભવન પેલેસ આ મહેલ છોટા ઉદેપુર જિલ્લામાં આવેલો છે. પ્રેમ ભવન પેલેસ એ કુસુમ વિલાસ પેલેસ પાસે જ આવેલ છે, જે હાલમાં એક હેરિટેજ હોટલ છે.
નવલખા પેલેસ આ મહેલ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં આવેલો છે. ગોંડલનો આ રાજવી મહેલ નવલખા દરબારગઢ તરીકે પણ પ્રખ્યાત છે.
ધ ઓરચાર્ડ પેલેસ આ મહેલ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં આવેલો છે. આ મહેલ ગોંડલના મહારાજાનો મુખ્ય નિવાસ સ્થાન હતો.
દૌલત નિવાસ પેલેસ આ મહેલ સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં આવેલો છે. આ મહેલ પહારાજા દોલતસિંહજીએ બંધાવ્યો હતો.
આર્ટ ડેકો પેસ આ પટેલ મોરબી જિલ્લામાં આવેલો છે. આ પટેલ અંગ્રેજોએ બંધાવ્યાનું મનાય છે. ઉદાહરણ છે. તે ગ્રેનાઈટથી બનેલું છે.
દિગવીરનિવાસ પેલેસ આ મહેલ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલો છે. જે 20 મી સદીમાં કાવેરી નદીના કિનારે બાંધવામાં આવ્યો હતો.
લક્ષ્મી નિવાસ પેલેસ આ મહેલ વડોદરા જિલ્લામાં આવેલો છે. આ મહેલ વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ ઈ.સ.1890માં બંધાવ્યો હતો.