Ayodhya Ram Mandir Live Updates: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા લાઇવ અપડેટ, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના પળેપળના સમાચાર મેળવો

Ayodhya Ram Mandir Live Updates: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા લાઇવ અપડેટ; રામનગરી અયોધ્યામાં આગામી 22 જાન્યુઆરીએ એટલે કે હવે માત્ર ગણતરીના કલાકોમાં રામમંદીરની પ્રાણ પ્રતિષ્ઠા…

Ayodhya Ram Mandir Live Updates

Ayodhya Ram Mandir Live Updates: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા લાઇવ અપડેટ; રામનગરી અયોધ્યામાં આગામી 22 જાન્યુઆરીએ એટલે કે હવે માત્ર ગણતરીના કલાકોમાં રામમંદીરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાનાર છે ત્યારે તમે ઘરે બેઠા તમામ લાઇવ અપડેટ આ વેબસાઇટ socioeducations.com માં જોઈ શકશો. અને રામ મંદિરમાં ભગવાન રામ રામ લલ્લાના ની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે આખા ભારતમાં દિવાળી ઉત્સવ જેવો માહોલ સર્જાયો.

Ayodhya Ram Mandir Live Updates

  • હાલ રામ મંદિરમાં રામલલ્લાની મૂર્તિ બિરાજમાન કરવામાં આવી છે. રામલલ્લાની મૂર્તિ જોઇને ભક્તો આનંદિત થઇ ગયા છે.
  • 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થશે. આ દિવસ બપોરના સમયે મૃગશિરા નક્ષત્રમાં રામલલ્લાની મહાપૂજા થશે.
  • 22 જાન્યુઆરીના રોજ બપોરે 12:29 વાગે 08 સેકન્ડથી 12.30 વાગે 32 સેકન્ડ સુધી રહેશે. એટલે કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે માત્ર 84 સેકન્ડનો શુભ મુહૂર્ત છે.

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન પ્રાયશ્ચિત પૂજા અને કર્મકુટી પૂજા સાથે સાત દિવસીય પ્રાણ પ્રતિષ્ઠાનો મંગળવારથી પ્રારંભ થયો હતો. બુધવારે રાત્રે રામલલાની મૂર્તિને મંદિરના ગર્ભગૃહમાં લાવવામાં આવી હતી.

અયોધ્યાની સરહદો સીલ કરવામાં આવી

Ayodhya Ram Mandir LIVE Update; ગઈ કાલે રાત્રે 8:00 વાગ્યે અયોધ્યાની સરહદો સીલ કરવામાં આવશે. આ પછી 23 તારીખ સુધી કોઈ પણ અયોધ્યાની સરહદમાં પ્રવેશી શકશે નહીં. પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં ફક્ત આમંત્રિત મહેમાનો જ આવી શકશે. તેમને પાસ આપવામાં આવ્યો છે. પાસ જોયા પછી જ એન્ટ્રી આપવામાં આવશે. મીડિયાકર્મીઓ અયોધ્યામાં ફોર વ્હીલર પર ફરી શકશે નહીં. મીડિયાકર્મીઓએ તેમના વાહનો ફાટિક શિલા પાર્કિંગમાં પાર્ક કરવાના રહેશે.

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા લાઇવ અપડેટ

અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ જીવન અભિષેક સમારોહનું આયોજન કરવામાં આવશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાગ લેશે. રામ લલ્લાના અભિષેક સમારોહ માટે લગભગ 7 હજાર વિશેષ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. પ્રાયશ્ચિત પૂજા અને કર્મકુટી પૂજા સાથે સાત દિવસીય પ્રાણ પ્રતિષ્ઠાનો મંગળવારથી પ્રારંભ થયો હતો. બુધવારે રાત્રે રામલલાની મૂર્તિને મંદિરના ગર્ભગૃહમાં લાવવામાં આવી હતી. શ્રી રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ આ માહિતી આપી. મૂર્તિને અંદર લાવતા પહેલા, ગર્ભગૃહમાં વિશેષ પૂજા કરવામાં આવી હતી. નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે ગુરુવારે ગર્ભગૃહમાં મૂર્તિ સ્થાપિત કરવામાં આવે તેવી શક્યતા છે. ક્રેનની મદદથી મૂર્તિને રામ મંદિરની અંદર લાવવામાં આવી હતી.

પ્રાણપ્રતિષ્ઠા પહેલાં 6 દિવસ અનુષ્ઠાન થયા

  • 16 જાન્યુઆરીથી રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ દિવસે પ્રાયશ્ચિત અને કર્મકૂટી પૂજન કરવામાં આવ્યું.
  • 17 જાન્યુઆરીએ રામલલ્લાની નવી મૂર્તિને મંદિર પરિસરમાં પ્રવેશ કરાવવામાં આવ્યો
  • 18 જાન્યુઆરીએ તીર્થ પૂજન, જળ યાત્રા, જલાધિવાસ અને ગંધાધિવાસ સાથે જ શ્રીરામલલ્લા વિગ્રહને તેમના સ્થાને બિરાજમાન કરવામાં આવ્યાં.
  • 19 જાન્યુઆરીએ ઔષધિવાસ, કેસરાધિવાસ, ધૃતાધિવાસ, ધાન્યધિવાસ કરાવવામાં આવ્યો.
  • 20 જાન્યુઆરીએ શર્કરાધિવાસ, ફલાધિવાસ, પુષ્પાધિવાસ કરાવવામાં આવ્યો.
  • 21 જાન્યુઆરીએએ મધ્યાધિવાસ અને શૈય્યાધિવાસ કરાવવામાં આવ્યો.