Tar Fencing Yojana 2023: સરકાર આપી રહી છે ખેતરની ફરતે કાંટાળી વાડ બનાવવા પર સહાય, તાર ફેન્સીંગ યોજના

Tar Fencing Yojana 2023: ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા ટ્રેક્ટર સહાય યોજના, તાડપત્રી સહાય યોજનાઓ વગેરે…

Tar Fencing Yojana 2023

Tar Fencing Yojana 2023: ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા ટ્રેક્ટર સહાય યોજના, તાડપત્રી સહાય યોજનાઓ વગેરે અમલી બનાવેલ છે. આવી જ એક યોજના Tar Fencing ખેડૂતો માટેની યોજનાઓ ikhedut Portal ઓનલાઈન મૂકવામાં આવે છે. તાજેતરમાં ખેડૂતોના હિતમાં મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ તાર ફેન્સીંગ યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ ટૂંક સમયમાં જાહેર થશે આ નિર્ણયને પગલે રાજ્યરના લાભો ખેડૂતોને તેનો લાભ મળી શકશે. Tar Fencing Yojana પણ તાજેતરમાં કૃષિ વિભાગ દ્વારા આપવામાં આવેલ છે. હવે પોતાના ખેતરમાં પાકના રક્ષણ માટે તાર ફેન્સીંગ યોજનાનો લાભ પણ લઈ શકશે.

Tar Fencing Yojana 2023:

આ યોજના હેઠળ ખેડૂતોની કૃષિ પેદાશોને જંગલી પ્રાણીઓ અને ઢોરની હાનિકારક અસરોથી બચાવવાના માટે યોજના બનાવેલ છે. ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તાર ફેન્સીંગ યોજના ૨૦૨૩ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના જે 2005 માં તેની શરૂઆત પછી નોંધપાત્ર ફેરફારોમાંથી પસાર થઈ છે. તેનો હેતુ તેની અસરકારકતા વધારવા અને વધુ ખેડૂતોને ટેકો આપવા માટે તેની પહોંચ વિસ્તારવાનો છે. ખેડૂતોની આવક વધારવાના લક્ષ્‍યાંક સાથે ગુજરાત સરકાર આ લક્ષ્યને હાંસલ કરવા માટે સક્રિયપણે સામેલ છે.

ખેડૂતો હવે 5 હેકટર જમીનના બદલે હવે 2 હેકટર વિસ્તાર માટે પણ કંટાળા તાર ફેનસિંગ યોજનાનો લાભ લઈ શકાશે. પહેલા ઓછામાં ઓછા 5 હેકટર વિસ્તારમા કંટાળા તાર ફેનસિંગ માટેની મજૂરી મળતી હતી. આ યોજનમાં ફેરફાર બાદ હવે મહત્તમ બે હેકટર વિસ્તાર માટે પણ યોજનાનો લાભ લઈ શકાશે. સીમાંત અને નાના ખેડૂતોને ધ્યાને રાખીને યોજનાની હેકટર મર્યાદા ઓછી કરવામાં આવી છે.

યોજનાનો હેતુ

રાજ્યના ખેડૂતો માટે અઢળક યોજનાઓ બનાવેલ છે. ખેતરની ફરતે ફેન્સીંગ બનાવવાની યોજના ખેડૂતો માટેની જ યોજના છે. તાર ફેન્સીંગ યોજનાનો હેતુ ખેડૂતોના પાકને જંગલી ભૂંડ, ડુક્કર અને નીલ ગાય, હરણ થી બચાવવાનો છે, જેથી આ પ્રાણીઓ દ્વારા ઉભા પાકને થતા નુકસાનને ઓછું કરી શકાય.

ફેન્સીંગ યોજનાના ફાયદા

આ યોજના હેઠળ અગાઉ 5 હેકટર જમીનમાં લાભ મળતો હતો, હવે માત્ર 2 હેકટર જમીન વિસ્તાર માટે પણ કંટાળા તાર ફેનસિંગ યોજનાનો લાભ લઈ શકાશે. જમીનના કલસ્ટર અનુસાર લાભાર્થીઓના જૂથની અરજીઓ અંગેરનીંગ મીટર દીઠ રૂપિયા 200/- સહાય મળશે. ખરેખર થનાર ખર્ચના 50% બેમાંથી જે ઓછું હોય તે સહાય મંજુર થશે.

તાર ફેન્સીંગ યોજનાનો લાભ લેવા જરૂરી પાત્રતા

આ યોજના વ્યક્તિગત ખેડૂતો અથવા ખેડૂતોના જૂથની અરજી હાલમાં મૂલ્યાંકન કરવામાં આવશે. સમીક્ષા પ્રક્રિયામાં ખેડૂત અથવા ખેડૂત જૂથની વિગતોનું મૂલ્યાંકન કરવામાં આવે છે. જેમાં તેમની અરજી અને તેમના બેંક નાણાંકીય ખાતા વિશે સંબંધિત માહિતીનો સમાવેશ થાય છે.

  • આ યોજનાનો લાભ ગુજરાતના નાગરિકોને મળશે.
  • ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે.
  • 2 હેક્ટર જમીન વિસ્તાર ધરાવતા ખેડૂતોને લાભ મળશે.
  • આધારકાર્ડ ધરાવતા હોય એમને લાભ મળશે.
  • ખેડૂતો 7/12 અને 8-A નો વિસ્તાર ધરાવતા ખેડૂતોને લાભ મળશે.

યોજનાનો લાભ લેવા જરૂરી ડોક્યુમેન્‍ટ

  • ઓનલાઈન અરજીની સહીવાળી નકલ થતા સંયુકત ખાતેદારના કિસ્સામાં બાંહેધરી પત્રક
  • 7/12, 8-અ ની નકલ અથવા વન અધિકાર પત્રની નકલ
  • બેંક પાસબુકની નકલ અથવા રદ કરેલ ચેક
  • આધારકાર્ડની નકલ
  • કબુલાતનામું અને સ્વ-ઘોષણા પત્રક
  • ડિમાર્ક્શન વાળો નકશો

વાયર ફેન્સીંગ યોજનાનો લાભ લેવાની વિગતો

પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્‍સીંગ બનાવવાની યોજના અન્‍વયે તારના ફેન્‍સીંગ અને માલ-મટીરીયલ્સના સ્પેસિફિકેશન નીચે મુજબ આપેલ છે.

  • થાંભલા ઉભા કરવા માટે ખાડાનું માપ 0.40 મીટર પહોળાઈ * 0.40 મીટર લંબાઈ * 0.60 મીટર ઉંડાઈ હોવી જરૂરી છે.
  • થાંભલાની સાઈઝ 2.50 મીટર ઉંડાઈ * 0.10 મીટર જાડાઈ * 0.10 મીટર પહોળાઈ હોવી જોઈએ.
  • બે થાંભલા વચ્ચેનું વધુમાં વધ અંતર 3.00 મીટર જોઈએ.
  • દર 15.00 મીટરે સહાયક થાંભલા બન્ને બાજુ મૂકવાના રહેશે, તેનું માપ/ સાઈઝ મૂળ થાંભલા મુજબ જ રહેશે.
  • થાંભલાના પાયામાં સિમેન્‍ટ કોંક્રીટથી પુરાણ કરવાનું રહેશે.
  • કાંટાળા તાર માટેના લાઈન વાયર તથા પોઈન્‍ટ વાયરના મિનિમમ ડાયામીટર 2.50 એમ.એમ રહેશે.
  • કાંટાળા તાર આઈ.એસ.આઈ માર્કા વાળા, ગેલ્વેનાઈઝડ, ડબલ વાયર અને જી.આઈ.કોટેડ હોવા જોઈએ.
  • વાડ નીચેથી જાનવર ખેતરમાં પ્રવેશી ના શકે તે માટે તારની વાડની ડિઝાઈનમાં નીચેના ભાગે લોખંડની જાળી વિકલ્પ સ્વરૂપે રાખી શકાશે.
  • લોખંડની જાળીને યોગ્ય ઉંડાઈ સુધી જમીનમાં પણ દબાવાની રહેશે. જાળીની ઊંચાઈ ગ્રાઉન્‍ડ લેવલથી 0.92 મીટર તથા જાળીના વાયરનો વ્યાસ 3.2 એમ.એમ તેમજ મેશ સાઈઝ 100 એમ.એમ * 100 એમ.એમ સુધી રાખી શકાશે.
  • તાર ફેન્‍સિંગના વિકલ્પે ઓછામાં ઓછા સેકન્‍ડ ગ્રેડ બેલાની દિવાલ બનાવી શકાશે. દિવાલની જમીનમાં ઊંડાઈ 0.6 મીટર * પહોળાઈ 0.23 મીટર * ઊંચાઈ ગ્રાઉન્‍ડ લેવલથી 2.0 મીટર હોવી જોઈએ.
  • જ્યારે બેલાની સાઈઝ 0.18 * પહોળાઈ 0.23 * લંબાઈ 0.38 મીટર વોઈડ સાથે અથવા વોઈડ વગર પણ રાખી શકાશે.

તાર ફેન્સીંગ યોજનામાં કેવી રીતે અરજી કરવી?

  • સૌપ્રથમ ikhedut.gujarat.gov.in વેબસાઈટ પર જવું.
  • ત્યાર બાદ તમારે યોજનાઓ પર ક્લિક કરવું.
  • યોજનાઓ પર ક્લિક કર્યા પછી તમારે ખેતીવાડી ની યોજનાઓ પર જવું.
  • ખેતીવાડી ની યોજનાઓ પર ક્લિક કર્યા પછી તમારે તાર ફેન્સીંગ યોજના પર ક્લિક કરવું.
  • તાર ફેન્સીંગ યોજના પર ક્લિક કર્યા પછી અરજી કરો પર ક્લિક કરવું.
  • અરજી કરો પર ક્લિક કર્યા પછી તમારી સામે એક ફોર્મ ખુલશે તેને ભરી દેવું.