eShram Card 2023: ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન 2023, અહીંથી કાઢવો ઈ શ્રમ કાર્ડ

eShram Card 2023: જે લોકોની ઉંમર 16 થી 59 વર્ષની વચ્ચે છે, આવા લોકો તેમના ઈ-શ્રમ કાર્ડ માટે અરજી કરી શકે છે, અસંગઠિત ક્ષેત્રમાં કામ…

eShram Card 2023

eShram Card 2023: જે લોકોની ઉંમર 16 થી 59 વર્ષની વચ્ચે છે, આવા લોકો તેમના ઈ-શ્રમ કાર્ડ માટે અરજી કરી શકે છે, અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારો ઈ-શ્રમ કાર્ડ (eShram Card 2023) ઓનલાઈન કે ઓફલાઈન બંને રીતે અરજી કરી શકાય છે. તો ચાલો એના વિષે થોડી વધુ વિગતવાર માહિતી નીચે આપેલ લેખથી મેળવીએ.

eShram Card 2023

વિભાગશ્રમ અને રોજગાર વિભાગ
દેશભારત
યોજનાઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન 2023
શરુ તારીખ26મી ઓગસ્ટ 2022
કોના દ્વારા શરુ કરવામાં આવેલ છે?ભૂપેન્દ્ર યાદવ, શ્રમ મંત્રી
વેબસાઈટeshram.gov.in

ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન 2023

eShram Card Registration 2023; હાલના સમયમાં સરકાર દ્વારા આધાર કાર્ડ સાથે ઈ-શ્રમ પોર્ટલની યોજનાને પણ આગળ વધારવામાં આવી રહી છે. ઈ શ્રમ કાર્ડ માટે તમે મફતમાં નોંધણી કરાવી શકો છો. તમે તમારા નજીકના જાહેર સેવા કેન્દ્ર, CSC અને પોસ્ટ ઓફિસમાંથી બનાવેલ ઈ-શ્રમ કાર્ડ ( eShram Card 2023 )મેળવી શકો છો. આ માટે તમારે આધાર કાર્ડ, ફોટો, મોબાઈલ નંબર અને બેંક ખાતાની માહિતી આપવી પડશે. તમે જાતે પણ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરીને પણ ઈ શ્રમ કાર્ડ મેળવી શકશો.

eShram Card 2023
eShram Card 2023: ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન 2023, અહીંથી કાઢવો ઈ શ્રમ કાર્ડ 3

ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન કોણ ન કરાવી શકે?

અમારી મહીતિ મુજબ આમાં તે વ્યક્તિઓ આવે છે, જેઓ પહેલાથી જ કોઈ પેન્શન અથવા સરકારી યોજનાનો લાભ લઈ રહ્યાં છે, આવા લોકો ઈ-શ્રમ કાર્ડ માટે પાત્ર નથી. બીજી તરફ, જો તેઓ અરજી કરે તો પણ તે નકારી કાઢવામાં આવશે, જે લોકો ટેક્સ સ્લેબમાં આવે છે અને આવકવેરો ભરે છે, આવા લોકોને પણ ઈ-શ્રમ કાર્ડ eShram Card 2023 મળી શકતું નથી. લોકો CPS/NPS/EPFO/ESIC જેવી યોજનાઓનો લાભ લઈ રહ્યા છે. તેથી તેમનું ઈ-શ્રમ કાર્ડ પણ બની શકશે નહીં.

ઈ શ્રમ કાર્ડ નો હેતુ


આ યોજનાનો હેતુ સામાજિક સુરક્ષા યોજના અથવા રાજ્ય / કેન્દ્ર સરકારની કોઈપણ યોજનાનો લાભ સીધા ખેડૂતોના / શ્રમિકોના ખાતામાં ટ્રાન્સફર કરવાનો છે.

ઈ-શ્રમ કાર્ડના ફાયદા શું છે?

  • ઈ-શ્રમ કાર્ડ મળ્યા બાદ કામદારો માટે દેશના કોઈપણ ભાગમાં કામ મેળવવું સરળ બનશે.
  • આ કાર્ડ દ્વારા કામદારો વિવિધ સામાજિક સુરક્ષા યોજનાઓનો લાભ પણ લઈ શકે છે.
  • આ કાર્ડ હેઠળ મફત અકસ્માત વીમો પણ આપવામાં આવે છે. અકસ્માતમાં રજિસ્ટર્ડ કામદારના મૃત્યુના કિસ્સામાં અથવા સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં , કામદાર અથવા પરિવારને બે લાખ સુધીની વીમા રકમ મળશે.
  • આંશિક વિકલાંગતાના કિસ્સામાં, આ રકમ એક લાખ રૂપિયા સુધી ઉપલબ્ધ રહેશે.
  • આ લાભ લેવા માટે, એક સરળ પ્રક્રિયાને અનુસરવી પડશે. કોઈપણ કાર્યકર જેની સાથે અકસ્માત થાય છે, તેનો નોમિની ઈ-શ્રમના પોર્ટલ પર જ વીમાની રકમનો દાવો કરી શકે છે અથવા તેની બેંકનો સંપર્ક પણ કરી શકે છે.


આ ઇ શ્રમ કાર્ડનું નામ યુનિક આઇડેન્ટિફિકેશન નંબર કાર્ડ છે અને જે ઓથોરિટી હેઠળ આ કાર્ડ આવે છે તેનું નામ છે – શ્રમ અને રોજગાર મંત્રાલય. આ યોજના પીએમ નરેન્દ્ર મોદીએ અસંગઠિત ક્ષેત્રના કામદારો અને મજૂરો માટે શરૂ કરી છે.

ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન માટે ડોક્યુમેન્ટ લીસ્ટ

  • આધાર નંબર
  • મોબાઈલ નંબર જે આધાર કાર્ડ સાથે કનેક્ટ હોય
  • બેંક એકાઉન્ટ ડીટેલ
  • ઉંમર 16 થી 59 વર્ષની વચ્ચે હોવી જોઈએ
eShram Card 2023 રજીસ્ટ્રેશન અહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *