Good News: 10માં નાપાસ થનાર વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર, જૂની માર્કશીટના આધારે પ્રવેશ મળશે

ધોરણ 10માં નાપાસ વિદ્યાર્થીઓને ફરીથી સ્કૂલમાં મળશે એડમિશન; ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં નાપાસ થનારા વિદ્યાર્થીઓને ફરી સ્કૂલમાં એડમિશન આપવામાં આવશે. શિક્ષણ વિભાગ અને શાળા સંચાલકોની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, શાળા સંચાલક મંડળની રજૂઆતને શિક્ષણ વિભાગ દ્વારા સ્વીકારવામાં આવી છે. આ મામલે શિક્ષણ બોર્ડ દ્વારા ટૂંક સમયમાં જ પરિપત્ર જાહેર કરવામાં આવશે.

ધોરણ 10માં નાપાસ વિદ્યાર્થીઓને ફરીથી સ્કૂલમાં મળશે એડમિશન

ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીઓ જ્યારે બોર્ડની પરીક્ષામાં નાપાસ થાય ત્યારે વિદ્યાર્થીઓને એક્સટર્નલ વિદ્યાર્થી તરીકે ફરીથી પરીક્ષા આપવી પડતી હતી. આ અંગે શાળા સંચાલક મંડળે અગાઉ શિક્ષણ વિભાગને રજુઆત કરી હતી કે, ધોરણ 10માં નાપાસ થનાર વિદ્યાર્થીઓને નિયમિત વિદ્યાર્થી તરીકે જ સ્કૂલમાં ફરીથી પ્રવેશ આપવામાં આવે. આ અંગે સંચાલકો આજે શિક્ષણ વિભાગ વચ્ચે બેઠક પણ થઈ હતી. આ બેઠકને હકારાત્મક અભિગમ મળ્યો છે.

5 વર્ષ અગાઉ રદ થયેલો નિયમ પુન: લાગુ થશે

5 વર્ષ પહેલા રદ થયેલો નિયમ ફરીથી લાગુ થયા બાદ અંદાજિત વર્ષે 4 લાખથી વધુ વિદ્યાર્થીઓને ફાયદો થશે. આ વર્ષે એટલે કે 2023થી ધોરણ 10ની પરીક્ષા આપનારા અને નાપાસ થનારા વિદ્યાર્થીઓમા માટે આ નિયમ લાગુ કરાશે. ધોરણ 10માં નાપાસ થનારા વિદ્યાર્થીઓને રેગુયલર વિદ્યાર્થીની જેમ જ શાળામાં પ્રવેશ આપવામાં આવશે.

જૂની માર્કશીટના આધારે પ્રવેશ મળશે

દર વર્ષે ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં સરેરાશ 4 લાખ જેટલા વિદ્યાર્થીઓ નાપાસ થતા હોય છે. એવા વિદ્યાર્થીઓ ફરીથી ધોરણ 10માં એડમિશન લઈને અભ્યાસ કરવા માંગતા હોય છે. જેથી વિદ્યાર્થીઓની ઈચ્છાને ધ્યાને લઈને શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરસમક્ષ શાળા સંચાલક મંડળે રજૂઆત કરી હતી. ત્યારે હાલ એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેમની રજૂઆતને સ્વીકારી લેવામાં આવી છે.

readmission to failed Class 10 students
Good News: 10માં નાપાસ થનાર વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર, જૂની માર્કશીટના આધારે પ્રવેશ મળશે 2

શિક્ષણ વિભાગને રજુઆત કરી હતી


ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, અગાઉ ગુજરાત બોર્ડમાં જોગવાઈ હતી કે, ધોરણ 10માં નાપાસ થનાર વિદ્યાર્થીઓને ફરીથી સ્કૂલમાં પ્રવેશ આપવો. પરંતુ 2021માં આ જોગવાઈમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.

આ અંગે શાળા સંચાલક મંડળે અગાઉ શિક્ષણ વિભાગને રજુઆત કરી હતી કે, ધોરણ 10માં નાપાસ થનાર વિદ્યાર્થીઓને નિયમિત વિદ્યાર્થી તરીકે જ સ્કૂલમાં ફરીથી પ્રવેશ આપવામાં આવે. આ અંગે સંચાલકો આજે શિક્ષણ વિભાગ વચ્ચે બેઠક પણ થઈ હતી. આ બેઠકને હકારાત્મક અભિગમ મળ્યો છે.

ગ્રૂપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!