શું છે જૂની પેન્શન યોજના: OPSનો ફાયદો, OPSની માહિતી, નવી પેન્શન યોજના મળતા લાભો

શું છે જૂની પેન્શન યોજના: ગત તા. 1/4/2004 પછી સરકારી નોકરીમાં નિમણુંક પામનાર કર્મચારીને જુની પેન્શન યોજનાના લાભો મળતા બંધ થતાં ભાવિ અંધકારમય: નવી પેન્શન યોજનાનો સર્વત્ર વિરોધ (ops pension)

જૂની પેન્શન યોજનાથી કર્મચારીઓને મળતી હતી નિવૃત્તિ પછીની જીવન નિર્વાહ સુરક્ષા

જૂની પેન્શન યોજના તા.1-4-2005 પછી સરકારી નોકરીઓમાં નિમણુંક થનાર માટે બંધ કરવામાં આવી છે. 1-4-2005 પહેલા સરકારી નોકરી ઉપર નિમણુંક પામેલ નોકરિયાત જ્યારે નિવૃત થાય ત્યારે છેલા પગારના 50 ટકા રકમ દર માસે આજીવન આપવાની જોગવાઈ છે એટલે કે, સરકારી નોકરિયાત જ્યારે નિવૃત થાય ત્યારે તેનો છેલ્લો પગાર ધારોકે 10 હજાર હોય તો નિવૃત થનાર સરકારી નોકરિયાતને છેલ્લાં પગારના 50 ટકા રકમ એટલે કે 5 હજારનું પેન્શન તેમને દર માસે આજીવન મળતું હતું.

OPSનો ફાયદો

  • પેન્શન પાત્ર સરકારી નોકરીયાત જ્યારે મૃત્યુ પામે ત્યારે તેની પત્નીને એ જીવે ત્યાં સુધી છેલ્લાં પગારની 30 ટકા રકમ એટલે કે, 3 હજાર મળતી હતી.
  • પેન્શન મેળવનાર વ્યક્તિ પોતે મૃત્યુ પામે ત્યાર પછી એમના સંતાનોને 25 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી જેટલાં સંતાનો હોય તેમને આ 30 ટકા રકમ આજીવન મળતી હતી.
  • આ છેલ્લાં પગારની રકમ અને ગ્રેચ્યુટીની રકમ એટલે કે, જેટલાં વર્ષની નોકરી હોય એટલા માસનો પગારની અડધી રકમ વધુમાં વધુ 33 માસના પગારની અડધી રકમ તેમને મળવાપાત્ર હતી.
  • એટલે કે, છેલ્લો પગાર 10 હજાર હોય તો જેટલાં વર્ષની નોકરી કરેલ હોય તેટલા માસ પરંતુ વધુમાં વધુ 33 માસના પગારની અડધી રકમ મળવા પાત્ર હતી.
  • Old Pension scheme (OPS) “જૂની પેન્શન સ્કીમમાં નિવૃત્તિ વખતના છેલ્લા પગારના પચાસ ટકા પેન્શન મળતું હતું. નવી પેન્શન યોજના પ્રમાણે, દર મહિને કર્મચારીના પગારના દસ ટકા અને સરકાર દ્વારા દસ ટકા પેન્શન ભંડોળમાં ઉમેરાય છે. આ નાણાંનું મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવામાં આવે છે.”
  • ” આધારિત આ રોકાણમાંથી નિવૃત્તિ વખતે 60 ટકા રકમ કર્મચારીને આપી દેવામાં આવે છે. બાકીની 40 ટકા રકમ ઇક્વિટીમાં રોકાણ કરવામાં આવે છે તેના વ્યાજમાંથી મળતી રકમ દર મહિને પેન્શન પેટે આપવામાં આવે છે.”
  • “ધારો કે નિવૃત્તિ સમયે 20 લાખ એકઠા થયા તો 12 લાખ રૂપિયા કર્મચારીને રોકડા મળી જાય છે અને આઠ લાખના વ્યાજમાંથી મહિને જે રકમ મળે તે દર મહિને પેન્શન પેટે આપવામાં આવે છે.”’

New Pension Scheme (NPS) “નવી પેન્શન વ્યવસ્થા શેરબજાર પર આધારિત હોવાથી કેટલું પેન્શન મળશે તેને લઈને પણ અનિશ્ચિતતા રહે છે. જેમ કે યુક્રેન યુદ્ધ પહેલાં પેન્શન મળતું હતું તેમાં શેરબજાર ગબડતાં ઘટાડો થયો હશે. છેલ્લાં બે વર્ષમાં નિવૃત્ત થતાં કર્મચારીઓને બે-ત્રણ હજાર રૂપિયા પેન્શન મળતા જોયા પછી નવી પેન્શન યોજનાને લઈને ભ્રમ ભાંગી ગયો છે.”

“આઘાતજનક પરિણામ દર્શાવતાં વાસ્તવિક ઉદાહરણો જોઈએ તો, બેબી ગોપાલ કૃષ્ણન સિનિયર એકાઉન્ટન્ટ તરીકે 2017માં સેવા નિવૃત્ત થયા હતા. તેમનો છેલ્લો પગાર 32,900 હતો. નવી પેન્શન સ્કીમ હેઠળ તેમને 1650 રૂપિયા પ્રતિ માસ પેન્શન મળી રહ્યું છે. જૂની પેન્શન સ્કીમ હેઠળ તેમને પેન્શન પ્રતિમાસ 16,450 રૂપિયા વત્તા ડીએ મળવાપાત્ર હતું.”

જુની પેન્શન યોજનામાં મળતા લાભો | Benefits of old Pension scheme

  1. પેંશન માટે પગારમાંથી કોઇ કપાત કરવામાં આવતી નથી.
  2. GPF (Govt. Provident Fund) ની સુવિધા ઉપલબ્ધ છે.
  3. એક સુરક્ષીત પેંશન યોજના છે.
  4. નિવૃત્તિ સમયે છેલ્લા પગારના 50 ટકા રકમ પેંશન તરીકે પ્રાપ્ત થવાની ગેરંટી છે.
  5. મોંધવારી ભથ્થા (ઉઅ) તેમજ તેમાં દર છ માસે થતાં વધારાનો લાભ પણ મળવા પ્રાપ્ત છે.
  6. અંતર્ગત દર દસ વર્ષે નિમાતા પગાર પંચના લાભો પ્રાપ્ત થાય છે.
  7. નિવૃત્તિ સમયે સમગ્ર જીવન પર્યત બજાવેલ સેવાના કદર રૂપે રૂપિયા 20 લાખ સુધીની ગ્રેજયુએટી મળવા પાત્ર છે.
  8. સેવા દરમ્યાન કર્મચારીનું અવસાન થતાં તેમનો પરિવાર સન્માન જનક રીતે જીવન નિર્વાહ કરી શકે તે માટે કુટુંબ પેંશનની જોગવાઇ કરેલ છે.
  9. સરકારની તિજોરી મારફત ચુકવણું કરવામાં આવે છે.
  10. નિવૃત્તિ સમયે પ્રાપ્ત GPF ના વ્યાજ પર કોઇપણ પ્રકારનો આવક વેરો લાગતો નથી.
  11. નિવૃતિ સમયે પેંશન પ્રાપ્ત કરવા માટે GPF ફંડ માંથી કોઇપણ પ્રકારનું રોકાણ કરવાનું હોતું નથી.
  12. 40 ટકા રકમ પેંશન રોકડ રૂપાંતર (Pension Commutation) અંગેની જોગવાઇ છે.
  13. નિવૃત્તિ બાદ મેડિકલ ફેસિલિટી ઉપલબ્ધ છે.

શું છે જૂની પેન્શન યોજના: OPSનો ફાયદો, OPSની માહિતી, નવી પેન્શન યોજના મળતા લાભો
શું છે જૂની પેન્શન યોજના: OPSનો ફાયદો, OPSની માહિતી, નવી પેન્શન યોજના મળતા લાભો 2

નવી પેન્શન યોજના મળતા લાભો | Benefits of New Pension scheme

  1. પગારમાથી 10 ટકા (Basic+DA) ની કપાત કરવામાં આવે છે.
  2. GPF (Govt. Provident Fund) ની સુવિધા ઉપલબ્ધ નથી.
  3. શેર બજાર આધારીત અસુરક્ષીત યોજના છે.
  4. નિવૃત્તિ સમયે પેંશનની કોઇ ગેરંટી નથી. બને શકે કે તમામ રકમ ડુબી જાય
  5. મોંધવારી ભથ્થા (DA) તેમજ તેમાં દર છ માસે થતાં વધારાનો લાભ પણ મળવા પ્રાપ્ત નથી.
  6. અંતર્ગત દર દસ વર્ષે નિમાતા પગાર પંચના લાભો પ્રાપ્ત થશે નહીં.
  7. નિવૃત્તિ સમયે સમગ્ર જીવત પર્યત બજાવેલ સેવાની કોઇ કદર થતી નથી જેથી ગ્રેજયુટી તરીકે કોઇ રકમ મળવા પાત્ર નથી.
  8. સેવા દરમ્યાન કર્મચારીનું અવસાન થતા તેમનો પરિવાર સન્માન જનક રીતે જીવન નિર્વાહ કરી શકે તેની કોઇ ચિંતા સરકારને નથી માટે કુટુંબ પેંશનની જોગવાઇ કરેલ નથી.
  9. શેર બજાર એટલે કે સટ્ટા બજાર આધારીત ચુકવણું કરવામાં આવે છે. જે અનિશ્ર્વિતતાથી ભરપુર છે.
  10. નિવૃત્તિ સમયે પ્રાપ્ત શેર બજાર આધારીત રકમ પર આવક વેરો ચુકવવો પડશે.
  11. નિવૃતિ સમયે પેંશન પ્રાપ્ત કરવા માટે આપણા સમગ્ર કાર્યકાળ દરમ્યાન પેંશન ફંડમાં જમા કરેલ રકમના 40 ટકા રકમનું ફરજીયાત રોકાણ કરવું અનિવાર્ય છે.
  12. પેંશન રોકડ રૂપાંતર (Pension Commutation) અંગેની જોગવાઇ નથી.
  13. નિવૃતિ બાદ મેડીકલ ફેસિલિટીની કોઇપણ પ્રકારની સ્પષ્ટ જોગવાઇ નથી.

નવી સિસ્ટમ હેઠળ આ સુવિધાઓ નાબૂદ કરવામાં આવી હતી. આનો અર્થ એ થયો કે 2004 કે ત્યાર બાદ નિમણૂક પામેલા લોકોને પેન્શન મળવાની કોઈ ગેરંટી નથી. તેમને GPFની સુવિધા પણ આપવામાં આવી નથી. નિવૃત્તિ પછી, તમને ન તો તબીબી ભથ્થું મળશે કે ન તો વીમાનો લાભ, ન તો પગાર પંચનો લાભ મળશે કે ન તો મોંઘવારી ભથ્થું. એટલું જ નહીં, નવી પેન્શન યોજનામાં તમારું યોગદાન કેટલું છે તેના પર પેન્શન નક્કી કરવામાં આવ્યું છે. અગાઉની પેન્શન યોજનામાં તમે કેટલા વર્ષ કામ કરો છો તે મહત્વનું નથી, છેલ્લા પગારનો અડધો ભાગ પેન્શન તરીકે આપવામાં આવતો હતો.

શું છે જૂની પેન્શન યોજના

લેખન સંપાદન : સોસીયો એજ્યુકેશન ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ SOCIOEDUCATIONS.COM ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!